Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો જેવા દાવાઓ સાથે ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં PM મોદી એક સભાને સંબોધિત કરતા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવ્યા હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “ભારતમાં કેટલા રાજય છે અને ૯૦૦ એરપોર્ટ બન્યા હોય તો ગુજરાત ને ભાગે કેટલા આવે?” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને જય શાહ નો એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનની જીત બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ ફેસબુક પર “ભારત ની હાર ની ખુશી મનાવતો એક સટ્ટોડીઓ” ટાઇટલ સાથે BCCI સેક્રેટરી જય શાહની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક અને યુટ્યુબ પર “મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદીઓ બોમ્બ સાથે ઝડપાયા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં પોલીસ અધિકારીઓ આ બે આતંકવાદીનઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાની ઘટના પર પોલીસ અધિકારીઓ દ્વારા આ મિશન પાર પાડીને આતંકવાદીઓ જેલ ભેગા કર્યા હોવાનો દાવો કરવામાં આવેલ છે.\
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
June 22, 2024
Kushel HM
June 13, 2024
Komal Singh
June 11, 2024