Fact Check
પોલીસ લાઠીચાર્જના કારણે ખેડૂત પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાના ભ્રામક મીડિયા અહેવાલનું સત્ય
Claim : પંજાબના લોંગોવાલમાં પોલીસ લાઠીચાર્જ દરમિયાન એક ખેડૂતનું મૃત્યુ થયું
Fact : પંજાબના લોંગોવાલમાં વિરોધ પ્રદશન સમયે ટ્રેક્ટર ટ્રોલી પ્રીતમ સિંહ નામના ખેડૂત પર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું.
પંજાબના લોંગોવાલમાં પોલીસ લાઠીચાર્જ દરમિયાન એક ખેડૂતનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે ન્યુઝ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર ‘ખેડૂત પ્રિતમ સિંહના અંતિમ સંસ્કાર’ ટાઇટલ સાથ ન્યુઝ રિપોર્ટ શેર કરવામાં આવેલ છે. ન્યૂઝચેકરની તપાસમાં આ ન્યુઝ રિપોર્ટ અધૂરી માહિતી સાથે પ્રકાશિત થયો હોણું જણાયું છે.

Fact Check / Verification
પોલીસ લાઠીચાર્જ દરમિયાન ખેડૂત પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા દિવ્ય ભાષ્કર અને રિપબ્લિક વર્લ્ડ દ્વારા 21 ઓગષ્ટ 2023ના પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. જે મુજબ, પંજાબના સંગરુરમાં ખેડૂત નેતાઓની કથિત અટકાયતને લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન એક વ્યક્તિ ટ્રેક્ટર-ટ્રોલી નીચે કચડાઈ જતા મૃત્યુ થયું હતું. આ અંગે અન્ય મીડિયા અહેવાલો અહીં, અહીં અને અહીં વાંચો.

ઘટનાની અન્ય વિગત મુજબ, ખેડૂત નેતા તીર્થ સિંહે કહ્યું- ખેડૂતો લોંગોવાલ પોલીસ સ્ટેશનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન સંગઠને કહ્યું કે આજે જ ટોલ પ્લાઝા ફ્રી કરવામાં આવે. ખેડૂતો માત્ર કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તામાં ખેડૂતોને ઘેરી લીધા હતા. જ્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ખેડૂત આગેવાન પ્રિતમસિંહ અને ગુરજંતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઉપરાંત, સંગરુર પોલીસ દ્વારા આ ઘટનાને લઈને 21 ઓગષ્ટના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. પોલીસે આપેલી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે લોંગોવાલ ખાતે આજે એક પ્રદર્શનકારીનું કમનસીબ મૃત્યુ થયું છે. સાક્ષીઓ અને વિડિયોઝ મુજબ મૃતક વિરોધ પ્રદશન કરી રહ્યા હતા જે દરમિયાન ચાલતા ટ્રેક્ટરની ટ્રોલી ફરી વળતા એક પોલીસ ઈન્સ્પેક્ટરને પણ ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના પર સંગરુર પોલીસ એસીપી સુરેન્દ્ર લાંબા દ્વારા મીડિયાને વિગત વાર માહિતી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે ખેડૂતોના વિરોધ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી ફરી વળતા પ્રીતમ સિંહના પગમાં ઈજા થઈ…તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બાદમાં તેને પટિયાલા રેફર કરવામાં આવ્યા અને પટિયાલા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ દ્વારા કોઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો ન હતો, વિરોધીઓએ બેરિકેડનો ભંગ કર્યો અને વિરોધ ચાલુ રાખ્યો હતો.
(આ પણ વાંચો : શું ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું છે? જાણો સત્ય)
Conclusion
પોલીસ લાઠીચાર્જ દરમિયાન ખેડૂત પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક છે. પંજાબના લોંગોવાલમાં વિરોધ પ્રદશન સમયે ટ્રેક્ટર ટ્રોલી પ્રીતમ સિંહ નામના ખેડૂત પર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ લાઠી ચાર્જના કારણે મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
Result : Partly False
Our Source
Media Report Of bhaskar, 21 Aug 2023
Media Report Of republicworld, 21 Aug 2023
Tweet Of SangrurPolice, 21 Aug 2023
Tweet Of ANI, 21 Aug 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044